Tag: Yoga for health

  • શું તમને વધુ પડતા વિચારો આવે છે? આ યોગ મુદ્રાથી ઓવરથિન્કિંગ, શ્વાસ સંબંધી સમસ્યાઓ થશે દૂર

    શું તમને વધુ પડતા વિચારો આવે છે? આ યોગ મુદ્રાથી ઓવરથિન્કિંગ, શ્વાસ સંબંધી સમસ્યાઓ થશે દૂર

    વધુ પડતું વિચારવું એ આજે ઘણાં લોકોની સમસ્યા છે. તેના કારણે વ્યક્તિ ડિપ્રેશન, તણાવ અને પોતાના પર દબાણ અનુભવે છે.

    આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો કસરત અને યોગથી દૂર જઈ રહ્યા છે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. યોગ તમારા શરીરના વિકારોને દૂર કરવામાં મદદ કરે છે અને માનસિક શાંતિ પણ આપે છે. યોગમાં કેટલીક મુદ્રાઓ છે, જે શરીરના રક્ત પ્રવાહને સુધારવા ઉપરાંત તમારી શ્વસનતંત્રની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આ મુદ્રાઓમાંથી આદિ મુદ્રા માનસિક તણાવ અને ઓવરથિન્કિંગની સમસ્યાથી લઈને શ્વાસ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

    આદિ મુદ્રા કઈ રીતે કરવી?

    -સૌથી પહેલાં પદ્માસન કે સુખાસનમાં બેસો.

    -પછી હથેળીના સાંધા પાસે તમારા હાથના અંગૂઠા વડે સૌથી નાની એટલે કે કનિષ્ઠા આંગળીને સ્પર્શ કરો.

    -આંગળી ગોઠવીને મુઠ્ઠી બંધ કરો.

    -તમારા હાથને ઘૂંટણ પર રાખો અને ઊંડા શ્વાસ લો.

    -આ યોગ મુદ્રાનો અભ્યાસ શરૂઆતમાં દરરોજ 3-5 મિનિટ સુધી અને સમય જતાં અડધો કલાક સુધી કરો.

    ઓવરથિન્કિંગમાં મળશે ફાયદો

    વધુ પડતું વિચારવું એ આજે ઘણાં લોકોની સમસ્યા છે. તેના કારણે વ્યક્તિ ડિપ્રેશન, તણાવ અને પોતાના પર દબાણ અનુભવે છે. આદિ મુદ્રાથી નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે અને સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડવામાં મદદ મળે છે. આ મુદ્રા માનસિક શાંતિ સાથે બ્લડ પ્રેશરને નોર્મલ કરવામાં પણ મદદરૂપ છે.

    ફેફસાની સૂજન ઘટાડે છે

    આદિ મુદ્રાનો અભ્યાસ ફેફસાંની સૂજન ઘટાડવામાં મદદ કરે છે. આ યોગ મુદ્રા તમારા શ્વસનતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.

    ફેફસાના ઈન્ફેકશનને ઘટાડે છે

    આદિ મુદ્રા ફેફસાં અને શ્વસનતંત્રના ઈન્ફેકશનને ઘટાડવામાં મદદ કરે છે. આ મુદ્રા દ્વારા એનર્જી લેવલ સુધરે છે. આ શ્વસન માર્ગના રોગોને જેમ કે બ્રોન્કાઇટિસ અને અસ્થમા વગેરે ઘટાડવામાં મદદ કરે છે.

    આદિ મુદ્રાથી શરદીમાં રાહત

    શ્વસનતંત્રમાં ઈન્ફેક્શનથી શરદી અને ગળાની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાં તમે આદિ મુદ્રાની પ્રેક્ટિસ કરી શકો છો. આ મુદ્રા તમારા ઈન્ફેક્શનને ઘટાડવામાં અને શરદી વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.

    ઊર્જા સ્તરમાં વધારો

    આદિ મુદ્રાનો અભ્યાસ કરવાથી તમારા શરીરમાં ઓક્સિજનનું સ્તર વધવા લાગે છે. જેના કારણે તમારા લોહીમાં ઓક્સિજનનું સ્તર વધે છે. ઓક્સિજન સ્તર વધવાથી તે કોષોને રિપેર થવામાં મદદ કરે છે. સાથે જ ઊર્જા સ્તરમાં વધારો થાય છે.